મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર પાસે બાઇક રોડ સાઇડમાં માઈલ સ્ટોન સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના અમરસર પાસે બાઇક રોડ સાઇડમાં માઈલ સ્ટોન સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરથી મીતાણા તરફ જતા રોડ ઉપર અમરસર ગામ પાસે તળાવ નજીકથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ત્યાં રાખવામાં આવેલ માઇલ સ્ટોન સાથે બાઈક આથડયું હતું જેથી યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને યુવાનને રાજકોટ સારવારમાં લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું છે જેથી આ બનાવ સંદર્ભે મૃતકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી ગુમાનભાઈ હમરાજભાઈ ભુરીયા જાતે આદિવાસી (૫૫)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના મૃતક દિકરા વિનેશભાઈ ઉર્ફે વિનુભાઈ ગુમાનભાઈ ભુરીયા (૨૮) રહે. હાલ છતર કેશુભાઈ ભીમાણીની વાડીએ મૂળ રહે એમપી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર તરફથી મીતાણા તરફ જતા રસ્તા ઉપરથી અમરસર ગામ પાસે તળાવ નજીકથી તેનો દીકરો બાઈક નંબર જીજે ૨૩ ડીસી ૫૩૬૯ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ત્યાં મૂકવામાં આવેલ કિલોમીટર દર્શાવવા માટેના માઇલ સ્ટોન પથ્થર સાથે બાઈક અથડાયું હતું જેથી યુવાન નીચે પટકાતા તેને માથા અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મચ્છર મારવાની દવા પીધી

મોરબી તાલુકાના ઉંચી માંડલ અને તળાવિયા સનાળા ગામ વચ્ચે આવેલ રોલ્ઝા ગ્રેનાઈટો સિરામિક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સુરેન્દ્રભાઈ મહાનતા (૨૧) નામનો યુવાન ત્યાં લેબર ક્વાર્ટરમાં મચ્છર મારવાની દવા કોઈ કારણોસર પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડિયા ચલાવી રહ્યા છે






Latest News