હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરણીતા સાથે પ્રેમસબંધ હોય યુવાનને મહિલાના પતિ સહિત ચાર શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરમાં પરણીતા સાથે પ્રેમસબંધ હોય યુવાનને મહિલાના પતિ સહિત ચાર શખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં રહેતા યુવાનને પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે પરણીતાના પતિ સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા તેને અમરસર ફાટક પહેલા દૂધની ડેરી સામે બોલાચાલી કરીને લાકડાના ધોકા, બેલ્ટ અને અને ચપ્પલ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તે યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ વાંકાનેરમાં આરોગ્ય નગર પાસે આવેલ વેલનાથ પરાના રહેવાસી અને હાલમાં કેરાળા ગામે રહેતા રફીકભાઈ ઈબ્રાહીમભાઇ શેખ જાતે ફકીર (૩૬) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જમીનભાઈ રહે. રાજકોટ, ભાવેશભાઈ પ્રજાપતિ રહે. જીનપરા વાંકાનેર તથા તેની સાથે આવેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ અમરસરને ફાટક પહેલા આવતી દૂધની ડેરી સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ દ્વારા તેના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પગે તથા શરીરે આડેધડ લાકડાના ધોકા મારવામાં આવ્યા હતા તેમજ કમરે બાંધવાનો બેલ્ટ અને ચપ્પલ વડે તેને મોઢા અને ગાલ ઉપર પણ માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને યુવાનને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ જણાવ્યા મુજબ ભાવેશભાઈ પ્રજાપતિના પત્ની સાથે તેને પ્રેમ સંબંધ હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓ દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરમાં રહેતા સોનલબેન છોટુભાઈ ભરવાડ (૨૫) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મહિલાના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા






Latest News