હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ભારત યાત્રા સંદર્ભે મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજીની હાજરીમાં મિટિંગ યોજાઇ


SHARE











ભારત યાત્રા સંદર્ભે મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજીની હાજરીમાં મિટિંગ યોજાઇ

અખંડ સનાતન રક્ષાદલના રાષ્ટ્રીય અધ્યક્ષ ૧૦૦૮ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ પુરીજી મહારાજ ગઇકાલે મોરબીમાં આવ્યા હતા ત્યારે તેઓની અધ્યક્ષતામાં મોરબીના રામચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતભરમાંથી આવેલા સંતો અને મહંતો હાજર રહ્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીસીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા તેમજ મોરબીના વિવિધ સંસ્થાઓના પ્રમુખ, ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને સંતોનું સન્માન કરીને આશીર્વાદ લીધા હતા આ મિટિંગમાં ખાસ કરીને આગામી દિવસોમાં દ્વારકાથી ભારત યાત્રા નીકળવાની છે તેની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા દ્વારા મોરબી જીલ્લામાં આ યાત્રા આવે ત્યારથી લઈને બીજા જીલ્લામાં આગળ વધે ત્યાં સુધીની તમામ સેવા કરવાની જવાબદારી સ્વીકારી છે તેમજ ગુજરાતનાં જે કોઈ પણ જીલ્લામાં આ યાત્રા જશે ત્યાં સાધુ સંતોને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા કરાવી આપવાની પણ તેઓએ તૈયારી દર્શાવી છે






Latest News