મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડે ક્વાર્ટર પાસે સૂતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મોત


SHARE









વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડે ક્વાર્ટર પાસે સૂતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મોત

વાંકાનેર શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસના ક્વાર્ટર પાસે બહારના ભાગમાં ખાટલો રાખીને યુવાન સૂતો હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતાં તે યુવાને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસના ક્વાર્ટરમાં રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ રાઠોડ જાતે અનુ. જાતી (૪૦) પોતાના ઘર પાસે બહારના ભાગમાં ખાટલો નાખીને સૂતા હતા દરમિયાન કોઈ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થઈ હોવાથી પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સનપાર્ક સીરામીક કારખાનામાં રહેતા અને કામ કરતા બબલુભાઈ લખનભાઇ મારડી (૩૨) સીરામીક કારખાનાની લેબર ક્વાર્ટરમાં ઘરે સુતા હતા ત્યારે અગમ્ય કારણોસર શ્વાસ બંધ થઈ જતા તેને રીક્ષામાં તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News