મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અજાણ્યા પુરુષનું કોઈ કારણોસર મોત: ઓળખ મેળવવા તજવીજ


SHARE











વાંકાનેરમાં અજાણ્યા પુરુષનું કોઈ કારણોસર મોત: ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેરમાં આવેલ મુમના શેરી પાસે કોઈ અજાણ્યો પુરુષ મૃત્યુ પામેલી હાલતમાં હતો જેથી તેની જાણ સ્થાનિક વ્યક્તિ દ્વારા વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવી હતી ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મુમના શેરી પાસે કોઈ અજાણ્યો ૪૦ વર્ષનો પુરુષ કોઈ પણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં પડેલ હોય મુમના શેરીમાં રહેતા જવીદભાઈ ઉમરભાઈ વિસર જાતે સંધિ (૪૦)એ આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત હાલતમાં પડેલ યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અંદાજે ૪૦ વર્ષની ઉંમરનો યુવાન મૃત્યુ પામ્યો હોય તે અંગેની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે

મહિલાનું મોત

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં ઉમેશભાઈ ખીમજીભાઇ ચારોલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કીડીયાભાઈ ઉર્ફે કાળુભાઈ મેડા જાતે આદિવાસીના પત્ની ગીતાબેન મેડા જાતે આદિવાસી (૫૦) વાડીએ હતા ત્યારે કોઈપણ કારણોસર તે બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News