મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડે ક્વાર્ટર પાસે સૂતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મોત


SHARE











વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડે ક્વાર્ટર પાસે સૂતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મોત

વાંકાનેર શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસના ક્વાર્ટર પાસે બહારના ભાગમાં ખાટલો રાખીને યુવાન સૂતો હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતાં તે યુવાને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસના ક્વાર્ટરમાં રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ રાઠોડ જાતે અનુ. જાતી (૪૦) પોતાના ઘર પાસે બહારના ભાગમાં ખાટલો નાખીને સૂતા હતા દરમિયાન કોઈ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થઈ હોવાથી પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સનપાર્ક સીરામીક કારખાનામાં રહેતા અને કામ કરતા બબલુભાઈ લખનભાઇ મારડી (૩૨) સીરામીક કારખાનાની લેબર ક્વાર્ટરમાં ઘરે સુતા હતા ત્યારે અગમ્ય કારણોસર શ્વાસ બંધ થઈ જતા તેને રીક્ષામાં તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News