મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કરીને કર્યો વનપ્રવેશ


SHARE









વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કરીને કર્યો વનપ્રવેશ

મૂળ જસદણના વતની વાંકાનેરને કર્મભૂમિ બનાવી માત્ર ૧૭ વર્ષની વયે પિતાના વ્યવસાયમા જોડાઈને જીવનના ૫૦ વર્ષમાં છ ફેકટરીની સ્થાપના કરી છે અને યુવા ઉદ્યોગપતિ તેમજ વાંકાનેરમાં ભામાશા તરીકે ઓળખાતા પ્રજ્ઞેશભાઈ પટેલે સેવાકીય કામ કરીને વનપ્રવેશ કરેલ છે જેમાં તેમણે પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કર્યું છે

વાંકાનેરમાં રહેતા પ્રજ્ઞેશભાઈ પટેલે જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષા રોપણ, ગાયત્રી મંદિર દ્વારા ચાલતી શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ થી વધુ બાળકોને ગિફ્ટ, પાંજરાપોળને ૭.૫૧ લાખ, શહેરના બે સ્મશાનને માતબર રકમનું દાન આપ્યું છે હાલમાં પ્રજ્ઞેશભાઈ પટેલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, વાંકાનેર એજ્યુકેશન સોસાયટીમા ટ્રસ્ટી, પાંજરાપોળનાં સેક્રેટરી, સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય, વાંકાનેર પાટીદાર સેવા સમાજના પ્રમુખ, ઉમિયાધામ સીદસરનાં ટ્રસ્ટી જેવા અનેક સંસ્થાઓની સામે સંકળાયેલ છે આજની તારીખે તેઓ ૪૦૦ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે ત્યારે તેઓના જન્મ દિવસે શહેરના સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, વેપારીઓ સહિતનાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા






Latest News