વાંકાનેરના જાલસીકા હોલ માતાના મંદીર પાસે નદીમાં ડુબી જતા મહિલા તેમજ મોરબી નીચી માંડલ ગામે કુવામાં પડી જતા યુવાનનુ મોત મોરબીમાં કોર્પોરેટર પૂનમબેન દ્વારા સરકારની વિવિધ યોજનાના કામો માટેનો કેમ્પ યોજાયો મોરબી નજીક કારખાનાની રૂમમાં ગળાફાંસો ખાઈને યુવતીનો આપઘાત, કાયાજી પ્લોટ વિસ્તારમાં ઘરમાં બેભાન થઈ ગયેલ યુવાનનું મોત વાંકાનેરમાં બાઈક સ્લીપ થતા યુવકનું મોત મોરબીના રોયલ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 8 પકડાયા હળવદમાં નજીવી વાતે મહિલાને ગાળો આપીને માર માર્યો: મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ હળવદના નવા દેવળીયા ગામે રહેતા ખેડૂતના શ્રમિકો 49 મણ અને બીટી કપાસના વાવેતરની 13 થેલીઓ મળીને 1.83 લાખનો માલ ચોરી ગયા અમારી ગાડી ટોલનાકે ઊભી નહીં રાખવાની: વાંકનેરના વઘાસિયા ટોલનાકાના કર્મચારીને જુદીજુદી બે ગાડીમાં આવેલા 6 શખ્સોએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કરીને કર્યો વનપ્રવેશ


SHARE











વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કરીને કર્યો વનપ્રવેશ

મૂળ જસદણના વતની વાંકાનેરને કર્મભૂમિ બનાવી માત્ર ૧૭ વર્ષની વયે પિતાના વ્યવસાયમા જોડાઈને જીવનના ૫૦ વર્ષમાં છ ફેકટરીની સ્થાપના કરી છે અને યુવા ઉદ્યોગપતિ તેમજ વાંકાનેરમાં ભામાશા તરીકે ઓળખાતા પ્રજ્ઞેશભાઈ પટેલે સેવાકીય કામ કરીને વનપ્રવેશ કરેલ છે જેમાં તેમણે પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કર્યું છે

વાંકાનેરમાં રહેતા પ્રજ્ઞેશભાઈ પટેલે જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષા રોપણ, ગાયત્રી મંદિર દ્વારા ચાલતી શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ થી વધુ બાળકોને ગિફ્ટ, પાંજરાપોળને ૭.૫૧ લાખ, શહેરના બે સ્મશાનને માતબર રકમનું દાન આપ્યું છે હાલમાં પ્રજ્ઞેશભાઈ પટેલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, વાંકાનેર એજ્યુકેશન સોસાયટીમા ટ્રસ્ટી, પાંજરાપોળનાં સેક્રેટરી, સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય, વાંકાનેર પાટીદાર સેવા સમાજના પ્રમુખ, ઉમિયાધામ સીદસરનાં ટ્રસ્ટી જેવા અનેક સંસ્થાઓની સામે સંકળાયેલ છે આજની તારીખે તેઓ ૪૦૦ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે ત્યારે તેઓના જન્મ દિવસે શહેરના સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, વેપારીઓ સહિતનાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા






Latest News