હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારામાં બીમાર ગાયની સારવાર કરતાં જીવદયા પ્રેમી લોકો


SHARE











ટંકારામાં બીમાર ગાયની સારવાર કરતાં જીવદયા પ્રેમી લોકો

ટંકારામાં મહોરમના તહેવાર નિમિત્તે તાજીયાના ઝુલુસના મુખ્ય માર્ગ ઉપર મુમના શેરીમાં ત્રણ ચાર દિવસથી ગાય બીમાર હાલતમાં હતી અને તેના પાછલા પગના ભાગે જીવાત થઈ ગઈ હતી. જેની જાણ થતાં સામાજિક કાર્યકર અને ઉપસરપંચ પ્રતિનિધી તેમજ જીવ દયા પ્રેમી હેમંતભાઈ ચાવડા ત્યાં આવ્યા હતા અને તાત્કાલિક ૧૯૬૨ ઇમરજન્સી "કરુણા એનિમલ કેર"ને જાણ કરી હતી અને પાંજરાપોળના સંચાલક, ગૌ સેવા પ્રેમી રમેશભાઈ ગાંધીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. આ તકે સલીમભાઈ પટ્ટાવાળા, રાજુભાઈ કર્મચારી, પપ્પુભાઈ, અજયભાઈ પ્રજાપતિ વગેરેએ હાજર રહી ભારે જહેમત ઊઠાવી બીમાર ગાયને બેઠી કરીને પ્રાથમિક સારવાર આપી હતી. "ફ્રી એનિમલ કેર" દ્વારા બિમાર ગાયને ઇન્જેક્શન આપી દવાનો બાટલો ચડાવી સ્વસ્થ કરવાનો પ્રયાસ કરી રાહત અપાવી હતી. આ તકે ત્યાંથી પસાર થતા તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલે જીવ દયા પ્રેમી મિત્રોની કામગીરીને બિરદાવી હતી






Latest News