હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે રસ્તો ઓળંગતા વૃદ્ધ એસટી બસની હડફેટે ચડી જતા સારવાર દરમિયાન મોત


SHARE











ટંકારાના મીતાણા પાસે રસ્તો ઓળંગતા વૃદ્ધ એસટી બસની હડફેટે ચડી જતા સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા મીતાણા ગામના વૃદ્ધ ગામના પાદર નજીક રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે એસટી બસની હડફેટે ચડી જતા ઈજા પામતા મોરબીની સિવિલે અને બાદમાં અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું.બનાવ સંદર્ભે ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા મીતાણા ગામે રહેતા બળવંતસિંહ ગુમાનસિંહ જાડેજા નામના ૭૫ વર્ષના વૃદ્ધ ગઈકાલ તા.૨૧-૭ ના સવારના ૯:૩૦ વાગ્યાના અરસામાં મીતાણા ગામના પાદર નજીક મેલડી માતાના મંદિર પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા.ત્યારે મોરબી રાજકોટ હાઇવે ઉપર એસટી બસની હડફેટે ચડી ગયા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અહીં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે બળવંતસિંહ ગુમાનસિંહ જાડેજા નામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું.મૃતકના ભત્રીજા વિક્રમસિંહ જાડેજા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓના કાકા બળવંતસિંહને આંખે ઓછું દેખાતું હતું અને તેઓના લગ્ન થયા ન હોય સંતાન ન હોવાથી તેઓની સાથે જ રહેતા હતા.દરમિયાનમાં ગઈકાલે તેઓ ગામના પાદર નજીક રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અકસ્માતે એસટી બસની ઝડપે ચડી જવાથી ઇજા પામતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે.

બાળકી સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર નજીક રહેતી પાયલબેન મહેશભાઈ અદગામા નામની આઠ વર્ષની બાળકીને વાહન અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી.વધુમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે સવારે સ્કૂલે જતા સમયે ત્રાજપર નજીક આવેલ ચામુંડા પાન નામની દુકાન નજીક અજાણ્યા બાઇક ચાલકે પાયલબેનને હડફેટે લેતા ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેણીને દવાખાને સારવાર માટે ખસેડાઇ હતી.હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જનાવર કરડી જતા સારવારમાં

મોરબીના આંદરણા ગામે રહેતા રાજુપ્રસાદ બંસીલાલ મીણા નામના ૧૭ વર્ષના યુવાનને આંદરણા ગામ નજીક આવેલ ભેરૂનાથ હોટલ પાસે કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે






Latest News