મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને દારૂ પીવડાવીને માર મારતા સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીમાં યુવાનને દારૂ પીવડાવીને માર મારતા સારવારમાં રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા યુવાનને નશો કરાવ્યા બાદ તેને માર મારવામાં આવ્યો હોય મોરબી સિવિલે સારવાર માટે લવાયો હતો અને અહીંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા ધનસુખ દેવજીભાઈ વાઘેલા નામના ૨૬ વર્ષના યુવાનને ધુળકોટ ગામે આમરણ રોડ ઉપર કોઈના દ્વારા દારૂ પીવડાવવામાં આવ્યા બાદ ધનસુખભાઇને માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજા પામેલ ધનસુખ વાઘેલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.અહીં પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકે જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલે આ બનાવની આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં કાર્તિક લલિતભાઈ શાહ (૨૬) રહે.મારૂતિ ગોલ્ડ સિરામિક પાસે લાલપર વાંકાનેર હાઇવે મોરબી-૨ ને ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી સતિષભાઈ ઉર્ફે ચતુરભાઈ ખાંભળીયા નામના ૫૦ વર્ષીય આધેડને ભલગામડા રોડ નજીક મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે અત્રેની સીવીલે લાવવામાં આવ્યા હતા.

બાળક સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ રોડ ઉપરની જવાહર સોસાયટીમાં રહેતા કિશન દેવાભાઈ ભરવાડ નામના છ વર્ષના બાળકને સ્કૂલ ટીચરે માર માર્યો હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે રચના સ્કૂલમાં અભ્યાસ કરતા કિશન ભરવાડ નામના છ વર્ષના બાળકને શાળાના કોઈ ટીચર દ્વારા માર મારવામાં આવતા તેને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર આ સંદર્ભે વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News