મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો હાલમાં અડધો ફૂટ ખુલ્લો


SHARE











મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો હાલમાં અડધો ફૂટ ખુલ્લો

મોરબી જીલ્લામાં શનિવારે સારો વરસાદ થયો હતો અને હાલમાં મચ્છુ નદીમાં પાણીની આવક સારી છે ત્યારે મોરબી નજીકના મચ્છુ-૩ ડેમના એક દરવાજાને હાલમાં અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે અને આ ડેમની નીચેના ભાગમાં આવતા મોરબી અને માળીયા તાલુકાનાં ૨૦ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા

મોરબી તાલુકાનાં સાદુળકા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના મચ્છુ-૩ ડેમમાંથી છેલ્લા ઘણા દિવસોથી રૂલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે, શનિવારે મોરબીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને મચ્છુ નદી મારફતે હાલમાં મચ્છુ-૩ ડેમમાં પાણીની આવક વધવા લાગી છે ત્યારી ડેમના એક દરવાજાને બે ફૂટ ખુલ્લા રાખીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ૧૬૭૬ કયુસેક પાણીની આવકની સામે ડેમમાંથી ૧૬૭૬ કયુસેક પાણીની જાવક કરવામાં આવી હતી જો કે, આજે સવારે નવ વાગ્યા અધિકારીની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ડેમના એક દરવાજાને હાલમાં અડધો ફૂટ ખુલ્લા રાખીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને ૪૧૭ કયુસેક પાણીની આવકની સામે ડેમમાંથી ૪૧૭ કયુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ-૩ નીચેના મોરબીના ૧૧  અને માળીયાના ૯ ગામના સરપંચો સહિતના આગેવાનોને જાણ કરીને મચ્છુ નદીના પટમાં લોકોની અવર જવર ન કરવા માટે એલર્ટ કરવામાં આવેલ છે




Latest News