મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની સેસન્સ કોર્ટમાં એનડીપીએસના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીની સેસન્સ કોર્ટમાં એનડીપીએસના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગુનાની ફ૨ીયાદ એવી હતી કે આ કામના આરોપી પાસેથી માદક પદાર્થ (મેફેડ્રોન પાઉડર ૧૦.૨૦ ગ્રામ) કિંમત રૂપીયા ૧,૦૨,૦૦૦ એક પ્લાસ્ટીકની પારદર્શક કોથળીમાં રાખીને મળી આવેલ તથા આરોપીની અંગજળતી દરમ્યાન મોબાઈલ તથા રોકડ રૂપીયા સાથે મળી આવતા અને આ આરોપીની પુછપરછમાં તેણે આ જથ્થો રવીન્દ્ર ઉર્ફે આશીષભાઈ જીતેન્દ્રભાઈ રાવલ પાસેથી મેળવ્યો હોવાની હકીકત જણાવેલ હોય ટંકારા પોલીસે હાલના આરોપીની અટક કરી મોરબી સ્પે.કોર્ટમાં રીમાંડ સાથે રજુ કરતા આરોપીને રીમાંડ મંજુર ક૨ી બાદમાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય.આ આરોપીએ મો૨બીએ એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા અરજી દાખલ કરી હતી.

આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરવામાં આવી હતી. આરોપી રવીન્દ્ર ઉર્ફે આશીષભાઈ જીતેન્દ્રભાઈ રાવલ તરફેથી દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી.આરોપી રાજકોટ જીલ્લાના કાયમી વતની છે.કયાય નાશીભાગી જાય તેમ નથી.તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા ૨જુ ક૨ીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુ બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દિલીપ અગેચાણીયાની દલીલો માન્ય રાખીને કોર્ટે આરોપીને જામીન ઉ૫૨ છોડવાનો હુકમ કરેલ છે.આરોપી તરફેથી એડ. દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ ૫૨મા૨, ૨વી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News