મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ

મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે આ રથયાત્રામાં જગન્નાથજીની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને પણ રાખવામા આવ્યા હતા અને રથયાત્રા પહેલા ભગવાનને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ભક્તિનગર સર્કલ પાસે આવેલ મોર્ડન હોલ ખાતેથી યાત્રા શરૂ કરવામાં આવી હતી અને ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, ગાંધીચોક, નગર દરવાજા, રાવપર રોડથી મોર્ડન હોલ ખાતે યાત્રાને પુરી કરવામાં આવી હતી અને રથયાત્રાના રૂટ પર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ,, હિન્દુ યુવા વાહિની અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સ્વયંસેવકોએ  સેવા આપી હતી. આ તકે સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા, બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત સહિતના લોકો યોજાયા હતા તેમજ ખાસ કરીને આ રથયાત્રામાં ઇસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર સાથે જોડાયેલ રશિયા, કઝાકિસ્તાન, યુક્રેન, અમદાવાદ, રાજકોટ સહિતના ભક્તો આવ્યા હતા અને ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી.ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા લિખિત પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રથયાત્રા હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્રના સંચાલક હરેન્દ્ર મુરારી પ્રભુજીના નેતૃત્વમાં યોજાઈ હતી.






Latest News