મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રદેશ ભાજપના મહામંત્રીના હસ્તે સ્મશાનમાં ભઠ્ઠીના બિલ્ડિંગનું કરાશે ખાતમુહૂર્ત


SHARE







મોરબીમાં પ્રદેશ ભાજપના મહામંત્રીના હસ્તે સ્મશાનમાં ભઠ્ઠીના બિલ્ડિંગનું કરાશે ખાતમુહૂર્ત

મોરબી પાલિકા દ્વારા શહેરના પંચાસર રોડ ઉપર આવેલ સોનાપુરી સ્મશાનમાં ગેસ આધારિત ભઠ્ઠી મંજૂર કરવામાં આવેલ હતી ત્યારે સ્મશાનમાં ભઠ્ઠીનું બિલ્ડિંગ બનાવ માટેના કામનું તા ૩૦ ના રોજ સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સરકાર દ્વારા ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા ૬૯.૪૨ લાખ રૂપિયા ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી બિલ્ડિંગ માટે આપવામાં આવેલ છે આ કામનું ખાતમુહૂર્ત કચ્છ-મોરબીના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે તા ૩૦ ના રોજ સવારે ૧૦:૩૦  કલાકે મોરબીના પંચાસર રોડ પર આવેલી સતવારા સમાજ વાડી ખાતે આ કાર્યક્રમ રાખવામા આવેલ છે આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મહામંડલેશ્વર શિવરામદાસજી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઈ હુંબલ, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રીશીપભાઈ કૈલા સહિતના હાજર રહેશે






Latest News