મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રદેશ ભાજપના મહામંત્રીના હસ્તે સ્મશાનમાં ભઠ્ઠીના બિલ્ડિંગનું કરાશે ખાતમુહૂર્ત


SHARE











મોરબીમાં પ્રદેશ ભાજપના મહામંત્રીના હસ્તે સ્મશાનમાં ભઠ્ઠીના બિલ્ડિંગનું કરાશે ખાતમુહૂર્ત

મોરબી પાલિકા દ્વારા શહેરના પંચાસર રોડ ઉપર આવેલ સોનાપુરી સ્મશાનમાં ગેસ આધારિત ભઠ્ઠી મંજૂર કરવામાં આવેલ હતી ત્યારે સ્મશાનમાં ભઠ્ઠીનું બિલ્ડિંગ બનાવ માટેના કામનું તા ૩૦ ના રોજ સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સરકાર દ્વારા ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા ૬૯.૪૨ લાખ રૂપિયા ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી બિલ્ડિંગ માટે આપવામાં આવેલ છે આ કામનું ખાતમુહૂર્ત કચ્છ-મોરબીના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે તા ૩૦ ના રોજ સવારે ૧૦:૩૦  કલાકે મોરબીના પંચાસર રોડ પર આવેલી સતવારા સમાજ વાડી ખાતે આ કાર્યક્રમ રાખવામા આવેલ છે આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મહામંડલેશ્વર શિવરામદાસજી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઈ હુંબલ, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રીશીપભાઈ કૈલા સહિતના હાજર રહેશે






Latest News