મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત


SHARE







વાંકાનેરના જાલીડા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટીયા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં સુતેલ યુવાનને ઝેરી જનાવર કરડી ગયું હતુ જેથી તેને ઝેરી અસર થઈ હતી માટે તે યુવાનને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની મૃતકના પરિવારજનો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બાલનગર જિલ્લાના કૂવોનુંહાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટીયા પાસે આવેલ આરનીયા બાયોડોમ ખાતે રહેતા અને ત્યાં કામ કરતા વિક્રમભાઈ રમુભાઈ આદિવાસી (૨૫) પોતાની ઓરડીમાં સુતા હતા દરમિયાન તેને ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તાત્કાલિક તને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મોરબીમાં રવાપર રેસીડેન્સી ખાતે રહેતા નિરંજનભાઇ મહેન્દ્રભાઈ ભોળા જાતે આદિવાસી (૨૭)એ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ જે.કે. અઘારા ચલાવી રહ્યા છે






Latest News