મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના છેવાડાના વિસ્તારોમાં વગર વરસાદે ગટરના પાણીના તલાવડા ભરાયા


SHARE











મોરબીના છેવાડાના વિસ્તારોમાં વગર વરસાદે ગટરના પાણીના તલાવડા ભરાયા

મોરબી શહેરના છેવાડે આવેલ વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ હજુ વરસાદી પાણીના તલાવડા ભરેલા જોવા મળી રહ્યા છે જે મામલે સ્થાનિક સામાજિક કાર્યકરે તંત્રને લેખીત રજૂઆત કરેલ છે.સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે વોર્ડ નં ૧૧ માં લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ રોડ પર હજુ પાણી ભરેલા છે શનાળા જીન પાસે ભૂંગળામાં કચરો ભરાઈ ગયો હોવાથી ગટરનું ગંદુ પાણી લાયન્સનગર મેઈન રોડ પર વહેતું થયું છે ત્યારે નાના વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણીના તલાવડામાંથી પસાર થવું પડે છે જેથી સ્થાનિકો પરેશન થયા છે ગંદા પાણીના તલાવડાને પગલે આરોગ્યના પ્રશ્નો પણ સર્જાઈ સકે છે જેથી વહેલી તકે ભૂંગળા (પાઈપ) ની સફાઈ કરી પાણીનો નિકાલ થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે.






Latest News