મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામે કારખાનાની પાછળ ઝાડ સાથે દોરી બાંધી યુવાને...


SHARE











ટંકારાના હીરાપર ગામે કારખાનાની પાછળ ઝાડ સાથે દોરી બાંધી યુવાને...

ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં કારખાનાની પાછળ લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવી ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં એશિયા પોલિપેક કારખાના પાછળના ભાગમાં આવેલ લીમડાના ઝાડ નીચે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું અને આપઘાત કરી લેનાર યુવાનનું નામ વિકાસભાઈ મહન્થીભાઈ ચૌધરી જાતે કુર્મી (૧૮) રહે હાલ એશિયા પોલીપેક કારખાનાની ઓરડી મૂળ રહે યુપી વાળો હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે સંજયભાઈ ખીમાભાઈ ડાકા જાતે પટેલ (૪૪) રહે ફ્લોરા હોમ્સ વોરાબાગ ગેડા સર્કલ પાસે મોરબી વાળા લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ તપાસ કરાવી રહ્યા છે.

યુવાનનું મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામે હાલમાં રહેતાુ મૂળ યુપીના રહેવાસી રામઅવતાર રામકિશન જાતે કોણી (૨૧) નામના યુવાનને ગત તા ૯/૬ ના રોજ વહેલી સવારે તાવ આવતા ટંકારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યા ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તેને મૃત જાહેર કરેલ હતો અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને હવે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News