જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામે પતિના આડા સંબંધ-સાસરિયાના ત્રાસથી કંટાળી પરણીતાએ પિયરમાં આયખું ટુકાવવાના બનાવમાં ગુનો નોંધાયો: બેની ધરપરડ


SHARE











હળવદના મિયાણી ગામે પતિના આડા સંબંધ-સાસરિયાના ત્રાસથી કંટાળી પરણીતાએ પિયરમાં આયખું ટુકાવવાના બનાવમાં ગુનો નોંધાયો: બેની ધરપરડ

હળવદ તાલુકાના મિયાણી ગામે પરણીતાએ પિયરમાં ઝેરી દવા પીને આપઘાત કરી દીધો હતો ત્યારબાદ મૃતક મહિલાની માતા દ્વારા તેના જમાઈ, વેવાઈ તથા વેવાણ આમ ત્રણ ની સામે દીકરીને મરવા માટે મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં મૃતક મહિલાના પતિ અને સસરાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા પિયરમાં આવેલ કલ્પેશભાઈ ત્રિભુવનભાઈ સુરેલાના પત્ની કાજલબેન કલ્પેશભાઈ સુરેલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવવામાં મૃતક મહિલાની માતા રાજુબેન જાદવજીભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી ૫૦ રહે મિયાણી ગામ વાળાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ કલ્પેશભાઈ ત્રિભોવનભાઈ સુરેલા, વેવાઈ ત્રિભુવનભાઈ ઠાકરશીભાઈ સુરેલા અને વેવાણ રમીલાબેન ત્રિભુવનભાઈ સુરેલા રહે બધા નવા માલણીયાદ વાળાની સામે દીકરીને મરવા મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની દીકરીના સાસુ અને સસરા તેને ઘરકામ બાબતે મેણા ટોંણા મારતા હતા અને તેના પતિ કલ્પેશને ચડામણી કરતા હતા જેથી કરીને તે ફરિયાદીની દીકરીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો તેમજ મૃતક મહિલાના પતિને કોઈ સાથે આડા સંબંધ હોય તે તેની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો બોલી મારકુટ કરતો હતો તે પ્રકારની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે હાલમાં મૃતક મહિલાના પતિ કલ્પેશભાઈ ત્રિભુવનભાઈ સુરેલા અને સસરા ત્રિભુવનભાઈ સુરેલાની ધરપકડ કરેલ છે.






Latest News