મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાંથી આર્થિક સંકળામણના લીધે યુવાન ગુમ થઈ ગયો હોવાનું ખુલ્યું


SHARE











મોરબીમાંથી આર્થિક સંકળામણના લીધે યુવાન ગુમ થઈ ગયો હોવાનું ખુલ્યું

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામનો રહેવાસી યુવાન છેલ્લા કલાક દિવસોથી ગુમ થઈ ગયો હતો અને તેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી દરમિયાનમાં ગુમ યુવાન મહેન્દ્રનગરથી બગદાણા ચાલ્યો ગયો હોવાનું જાણવા મળતા તેના ભાઈ તથા સંબંધી દ્વારા તેને સમજાવીને ઘરે લાવવામાં આવ્યો હતો.

આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ હળવદના સુરવદર ગામના રહેવાસી અને હાલ મોરબીના મહેન્દ્રનગર ગામે ક્રાંતિજ્યોત પાર્ક તક્ષશિલા સ્કૂલ પાસે રહેતા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ દેસાઈ જાતે પટેલ નામનો ૪૬ વર્ષનો યુવાન થોડા સમયે પહેલા ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના ચાલ્યો ગયો હતો જે અંગે તેના ભાઈ કિશોરભાઈ દેસાઈએ સીટી બી ડિવિઝન પોલીસમાં મોટાભાઈ ગુમ થયા હોવાની જાણ કરી હતી અને દરમ્યાનમાં ગુમ થયેલા જીતેન્દ્રભાઈ દેસાઈ બગદાણા હોવાની જાણ થતા તેઓના ભાઈ કિશોરભાઈ તથા તેમના સંબંધિ કેવિનભાઈ બગદાણા ગયા હતા અને ત્યાંથી સમજાવી જીતેન્દ્રભાઈને પરત મોરબી લાવ્યા હતા.પોલીસ તપાસના નિવેદનમાં જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે હાલ આર્થિક સંકળામણના લીધે તેઓ ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના બગદાણા ચાલ્યા ગયા હતા..!

ઘુંટુ અકસ્માત

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે આવેલ આઈટીઆઈ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વનરાજ હર્ષદભાઈ ઝીંઝુવાડીયા (ઉંમર ૨૬) રહે.ઉચી માંડલ તા.મોરબીવાળાને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલે તપાસ કરતા ખુલ્યું હતું કે વનરાજ ઝીંઝુવાડીયા બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માતે વાહન સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં તેને ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.

એકટીવામાંથી પડી જતા ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતો જેનુલ આબેદીન સલીમભાઈ મોવર નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી એકટીવા લઈને જતો હતો.ત્યારે રસ્તામાં તેનું એકટીવા પલ્ટી મારી જતા તે એકટીવા સહિત નીચે રોડ ઉપર પટકાયો હતો જેથી તેને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જેના પગલે હાલ તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા બાબુભાઈ કાળાભાઈ ટોયટા બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં આમરણ ગામે રામજી મંદિર પાસે તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજા થતા બાબુભાઇને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News