મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ટ્રક ચાલકે પાછળથી ટ્રક મારતા એસટીની બસ આગળના ટ્રકમાં અથડાઇ: ગુનો નોંધાયો


SHARE











માળીયા (મી) નજીક ટ્રક ચાલકે પાછળથી ટ્રક મારતા એસટીની બસ આગળના ટ્રકમાં અથડાઇ: ગુનો નોંધાયો

કચ્છ મોરબી નેશનલ હાઇવે રોડ ઉપરથી એસટી બસનો ચાલક બસ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ ટ્રકના ચાલકે બસમાં ટ્રકને અથડાવ્યો હતો જેથી બસ આગળ જતાં ટ્રકમાં અથડાઇ હતી આ બનાવમાં એસટીની બસમાં આગળ અને પાછળના ભાગે નુકશાન થયું હતું જેથી ટ્રકના ચાલક સામે એસટીના ચાલકે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

કચ્છ મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ માળિયા પોલીસ ચોકી નજીક દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના સામેથી એસટી બસના ડ્રાઇવર સંતોષભાઈ વિક્રમભાઈ પરમાર (27) રહે. ચિત્તલ જીલ્લો અમરેલી વાળા પોતાના હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડટી 0280 લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટ્રક નંબર જીજે 12 સિટી 9253 ના ચાલકે બેફિકરાયથી તેનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીની એસટીની બસની પાછળ ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને એસટી બસ આગળ જઈ રહેલા બીજા ટ્રકમાં અથડાઈ હતી આમ એસટી બસ સાથે ટ્રક અથડાવાના કારણે બસમાં નુકસાન થયું હતું જેથી એસટી બસના ચાલકે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રણજીતભાઈ રાજુભાઈ (35) નામના વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેના સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્કમાં રહેતા આશાબેન પ્રવીણભાઈ ખવડ (40) નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News