મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ


SHARE











મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે રહેતી મહિલાએ તેના આઠ વર્ષના બાળકને શાકભાજી લેવા માટે તેને મોકલ્યો હતો અને ત્યારબાદ તે ઘરે પરત નહીં આવતા બાળકનું અપહરણ થયું હોવા અંગેની હાલમાં બાળકની બહેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બાળકને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે કાંતિનગરમાં રમેશભાઈની ઓરડીમાં રહેતા ડોલીબેન રવિભાઈ જાટવ (18)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓનો આઠ વર્ષનો ભાઈ સત્યા તેઓની સાથે રહે છે અને તેને ગત તા. 8/6 ના સાંજના 4:30 વાગ્યાના અરસામાં ઘરેથી શાકભાજી લેવા માટે થઈને મોકલ્યો હતો ત્યારબાદ તે ઘરે પરત નહીં આવતા ક્યાંક જતો રહ્યો છે અથવા તો કોઈએ તેનો અપહરણ કર્યું છે જેથી અપ્રહુત બાળકની બહેને હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને ગુમ થયેલા બાળકને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

બાળકીને માર માર્યો

મોરબીમાં પડાપુલની નીચેના ભાગમાં રહેતી માનસીબેન રાજુભાઈ (13) નામની બાળકીને કોઈ અજાણ્યા શખ્સે મોરબીના જુના બસ સ્ટેશન પાસે માર માર્યો હતો જેથી તેને ઈજા થઈ હોય બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી હતી

ઝેરી દવા પીધી

થાન તાલુકાના મંડાસર ગામના રહેવાસી કલ્પેશ ગીધાભાઈ ડાભી નામના વ્યક્તિએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News