વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાની બહાર ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત
SHARE
વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાની બહાર ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત
વાંકાનેરના મેસરીયા ગામ પાસે આવેલ ગોકુલ નમકીનના ક્વાર્ટરમાં રહેતા યુવાને ત્યાં કારખાનાની બહારના ભાગમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ પાસે આવેલ ગોકુલ નમકીન નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા વિકાસકુમાર સુરેશકુમાર (20) નામના યુવાને કારખાનાની બહારના ભાગમાં ગત તા 8/6 ના રોજ સવારે 11 વાગ્યાનાં અરસામાં કોઈપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ડી.એમ.રાંકજા ચલાવી રહ્યા છે
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના જેલ રોડ ઉપર રહેતા દિનેશભાઈ લાભુભાઈ વાઘેલા (53) નામના આધેડે કોઈ કારણોસર ફિનાઇલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીમાં આવેલ વિનય સ્કૂલ પાસે રહેતા માનવી અર્જુનભાઈ વાઘેલા નામના વ્યક્તિએ કોઈ કારણોસર ફિનાઇલ પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી