ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના મોટા ખીજડીયા ગામે ધાર્મિક કાર્યક્રમના ફુલેકા દરમિયાન થયેલ ગોળીબાર કેસમાં નિર્દોષ છુટકારો


SHARE











મોરબી : ટંકારાના મોટા ખીજડીયા ગામે ધાર્મિક કાર્યક્રમના ફુલેકા દરમિયાન થયેલ ગોળીબાર કેસમાં નિર્દોષ છુટકારો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા મોટા ખીજડીયા ગામે પાંચેક વર્ષ પહેલા ઝાલા પરિવારના કુળદેવી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોચ્સવ યોજાયો હતો અને આ દરમિયાન યોજાયેલ ફુલેકાના પ્રસંગમાં થયેલ ઉત્સાહમાં આવીને કરાયેલા ફાયરિંગના બનાવમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.જે અંગે ફરિયાદ નોંધાવા પામી હતી જેનો કેસ કોર્ટમાં ચાલી જતા તકસીરવાનના તરફેથી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકવામાં આવેલા વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને હાલમાં ડીસ્ટ્રીક જજ દ્વારા આરોપીનો નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ (ગોપાલભાઈ) ઓઝાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે પાંચેક વર્ષ પહેલાં ઝાલા પરિવારના કુળદેવી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને તે દરમિયાન યોજાયેલ ફૂલેકામાં એકદમ ઉમંગમાં આવી જઈને દિપકસિંહ ખોડુભા વાઘેલા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં શોભાયાત્રામાં હાજર રહેલ ફરિયાદીના નાના ભાઈ ઉપેન્દ્રસિંહ નવલસિંહ ઝાલા મૂળ રહે.મોટા ખીજડીયા હાલ મોરબી વાળાને માથાના ભાગે ગોળી વાગી ગઈ હતી જેથી તેમને સારવારમાં ખસેડાયા હતા.આ બનાવ સંદર્ભે જેતે સમયે ટંકારા પોલીસ મથક ખાતે આઇપીસી કલમ ૩૦૮, ૩૩૮ અને આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ થયો હતો જે કેસ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી.જોશીની કોર્ટમાં ચાલી જતા આરોપી દિપકસિંહ ખોડુભા વાઘેલા તરફેથી મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા મહેનાઝબેન પરમાર રોકાયેલા હતા અને કોર્ટમાં તેઓએ કરેલ ધારદાર રજૂઆતો અને દલીલો તથા ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જુદાજુદા ચુકાદાઓ ટાંકીને બચાવ પક્ષના વકીલ ગોપાલ ઓઝા દ્વારા કરવામાં આવેલી દલીલોને કોર્ટે માન્ય રાખીને પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ પી.સી.જોશી દ્વારા આરોપી દિપકસિંહ ખોડુભા વાઘેલાને નિર્દોષ ઠેરવીને છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો હતો. આરોપી તરફેથી એડવોકેટ મનીષભાઈ પી.ઓઝા અને મહેનાઝબેન પરમાર રોકાયેલા હતા.






Latest News