મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર ગુમ


SHARE











મોરબીના આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર ગુમ

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર પોતાના ઘરેથી બહારગામ જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા આધેડના દીકરા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવતા પોલીસે હાલમાં ગુમ થયેલા આધેડને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા જયદીપભાઇ અશોકભાઈ ભટ્ટી જાતે વાણંદ (૨૭)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા અશોકભાઈ કરસનભાઈ ભટ્ટી જાતે વાણંદ (૫૧) ગત તા. ૨૭/૫  ના બપોરના ત્રણેક વાગ્યાથી ઘરેથી બહારગામ જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે તેવી ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ લઈને આધેડને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એમ. ભટ્ટ અને તેની ટીમ ચલાવી રહી છે

મારામારીમાં ઇજા
મોરબી નજીક આવેલ રફાળેશ્વર ગામે રહેતા ગોપાલભાઈ વાલજીભાઈ (૪૨) નામના યુવાનને પ્રેમજીનગર સામે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના શકાળા ગામે રહેતા ભૂરાભાઈ આઈદાનભાઈ સવસેટા (૩૫) સનાળા ગામ પાસે આવેલ ઉમિયાનગર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવવામાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News