મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાળકીના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાંથી બાળકીના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના લખધીરપુર રોડ સોરીસો સિરામીક કારખાનામાંથી બાળકીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ છોડી દેવાનો કોર્ટે હુકમ કરેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર ગામમાં લખધીરપુર રોડ સોરીસો સિરામીક કારખાનામાંથી તા. ૧૮/૭/૨૦૨૧ ના રોજ કામ કરતાં આશાબેન મુકેશભાઈએ તેમની દોઢ વર્ષની દીકરી આનંદીને ત્યાં કારખાનામાં કામ કરતા હતા તે સમયે મનોજ ટેટીયા નામનો આરોપી અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને બાળકી સાથે પકડી લીધેલ હતો અને તેની ચાર્જશીટ રજુ કરેલ હતી જો કે, આઈ.પી.સી. કલમ ૩૬૩ મુજબના ગુનામાં ચાર્જશીટ રજુ થયેલ હતી જેના અનુસંધાને કોર્ટમાં આરોપીના વકીલ મોનીકાબેન એન. સાંગાણી રોકાયેલ હતા અને લાગતા વળગતા સાક્ષીઓની ઉલટ તપાસ કરીને ધારદાર દલીલો રજુ કરેલ હતી જેના અનુસંધાને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી દેવાનો હુકમ કરેલ છે






Latest News