મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખનું આર્થિક કૌભાંડ થયું: ડીડીઓ


SHARE











મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખનું આર્થિક કૌભાંડ થયું: ડીડીઓ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં કરવામાં આવી રહેલા કૌભાંડ સામે આવ્યા છે ત્યારે ડીડીઓ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, અંદાજે ૨૫ થી ૩૦ લાખની રિકવરી કરવામાં આવી છે અને ૫૩ લાખનું કૌભાંડ કરીને સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી છે જો કે, જે કર્મચારીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે

મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે જો કે, છેલ્લા દિવસોમાં કૌભાંડીયાઓ પાસેથી અંદાજે ૩૦ લાખ રૂપિયાની રિકવરી પણ કરવામાં આવી છે જો કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને સરકારી નાણાની ઉચાપત કરેલ છે અને આ કર્મચારીઓ દ્વારા અન્ય વિભાગોમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવી શક્યતા છે જેથી કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે જો કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેવું ડીડીઓ કહી રહ્યા છે ત્યારે હવે આ કૌભાંડીઓની સામે કયારે ફરિયાદ નોંધાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News