હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

સામખયારીથી કટારીયા વચ્ચે ધનબાદ એક્સ્પ્રેસ ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE











સામખયારીથી કટારીયા વચ્ચે ધનબાદ એક્સ્પ્રેસ ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં

સામખયારીથી કટારીયા વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપરથી રાત્રે ધનબાદ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનમાં મુસાફર તરીકે બેઠેલ યુવાન કોઈ કારણોસર ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને માથે અને શરીરમાં ઇજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને હાલમાં તે રાજકોટ સારવાર હેઠળ હોય આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી પ્રમાણે મૂળ ઝારખંડના રાચીનો રહેવાથી દિનેશ સુરેશભાઈ પુરાવ (૨૫ નામનો યુવાન ચાલુ ટ્રેનમાંથી સુરજબારીથી કટારીયા વચ્ચે પડી ગયો હતો જેથી દિનેશને પ્રથમ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને આ યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે હાલમાં રાજકોટ સારવાર હેઠળ છે દરમિયાન તેના કાકા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ધનબાદ એક્સપ્રેસ ટ્રેનમાં ઝારખંડના ધનબાદથી ગાંધીધામ તરફ તે આવી રહ્યા હતા ત્યારે ટ્રેનના દરવાજા પાસે દિનેશ બેઠો હતો અને તે કોઈ કારણોસર નીચે પડી જતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત યુવાનના લગ્ન થઈ ગયા છે અને તેને ત્રણ સંતાન છે આ બનાવની હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે અને હવે બનાવ જે જગ્યાએ બનેલ છે તે વિસ્તારના પોલીસ મથકને જાણ કરવા માટેની કવાયત ચાલુ છે






Latest News