હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી વિહીપ દ્વારા સામૂહિક શ્રી હનુમાન ચાલીસાના પઠનનું આયોજન


SHARE











મોરબી વિહીપ દ્વારા સામૂહિક શ્રી હનુમાન ચાલીસાના પઠનનું આયોજન

કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને પીએફઆઇ જેવા સંગઠન સાથે સરખાવવાની અને કર્ણાટકમાં જો કોંગી સરકાર બને તો બજરંગ દળ ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે.જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અને તે દ્વેષી છે.રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ તથા મહારાષ્ટ્રના કોંગ્રેસના કેટલાક નેતાઓ અને બિહારમાં જનતા દળ (યુ) જેવા અન્ય પક્ષોના નેતાઓ પ્રતિબંધની હાકલ કરી રહ્યા છે.પરંતુ લગાવવામાં આવેલા આ ખોટા આરોપોનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.દેશભક્ત સંગઠન બજરંગ દળ સામે બજરંગ દળ તેના શિસ્તબદ્ધ સંગઠનાત્મક સ્વભાવ માટે જાણીતું છે.તેથી વિરોધ સ્વરૂપ બજરંગ દળ દ્રારા સાપ્તાહિક મીટીંગમાં કુમતિ નિવાર સુમિત કે સંગી દ્વારા સામૂહિક શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. મોટા પાયે સમાજની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ, જેથી હનુમંત શક્તિ જાગે, રાષ્ટ્રવિરોધીઓ અપ્રભાવી બને તે ભાવનાથી મોરબી જિલ્લામાં પણ આ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા કષ્ટભંજન હનુમાનજી મંદિર, ઉમા ટાઉનશીપ સામાકાંઠે મોરબી -૨ ખાતે વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા દ્વારા સામુહીક હનુમાન ચાલીસાના પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.






Latest News