મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે બે બાઇક અથડાતાં ઇજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE











વાંકાનેરના ભલગામ પાસે બે બાઇક અથડાતાં ઇજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા ભલગામ નજીક હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ થોડા દિવસો પહેલા બન્યો હતો જેમાં બાઈક સાથે બાઈકની અથડામણ થતા દિયરના બાઈક પાછળ બેસીને જતા ભાભી ઇજાગ્રસ્ત થયા હતા અને તે બનાવમાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું રાજકોટ ખાતે મોત નીપજયુ હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઉપરોક્ત બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ભલગામના રહેવાસી વર્ષાબેન રમેશભાઈ દેગડા (ઉમર ૨૭) કે જેઓનું પિયર સાયલા નજીકનું ધાંધલપર ગામ છે તેઓ પોતાના દિયર માલાભાઈના બાઈકની પાછળના ભાગે બેસીને ગત તા.૧૯-૪ ના સાંજના ૫:૩૦ વાગ્યાના અરસામાં જતા હતા ત્યારે ભલગામ નજીક હાઇવે ઉપર તેઓના બાઈકને અન્ય બાઈકના ચાલકે હડફટે લેતા વર્ષાબેન રમેશભાઈ દેગડા નામની ૨૭ વર્ષીય મહિલાને ઇજાઓ થતા પ્રથમ વાંકાનેર સિવિલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ગઈકાલ તા.૩૦-૪ ના રોજ સારવાર દરમિયાન વર્ષાબેન દેગડાનું મોત નીપજયુ હતું અને તેમના મોતના પગલે હાલ બે સંતાનોએ માતાની મમતાનો પાલવ ગુમાવ્યો છે. બનાવની જાણ થતા હાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ નારાયણ કંપની નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી ગગનભાઈ જગદીશભાઈ અરોરા (ઉંમર ૩૦) રહે. કપૂરવા ગામ તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગરને ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ તરફથી સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

હળવદના ભલગામડા વિસ્તારના રહેવાસી જશુબેન પ્રભુભાઈ દેત્રોજા નામના ૫૦ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા મોરબીની સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા






Latest News