મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ પોલીસ ચોકી પાસેથી મળી આવેલ ડેડબોડીમાં મૃતકની ઓળખ મળી


SHARE











મોરબીના લાતી પ્લોટ પોલીસ ચોકી પાસેથી મળી આવેલ ડેડબોડીમાં મૃતકની ઓળખ મળી

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ અને લાતી પ્લોટ મેઇન રોડની વચ્ચેના ભાગે આવેલ લાતીપ્લોટ પોલીસ ચોકી નજીક આવેલ દુકાન પાસેથી આશરે પાંત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા મૃતક વીંછીયાના શિવાજીપરા વિસ્તારનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું.

આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના અયોધ્યાપુરી રોડ નજીક લાતી પ્લોટ પોલીસ ચોકીની નજીક એક દુકાનની પાસે આશરે ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતકના વાલીવારસની શોધ કરવામાં આવતા હાલ મળેલ માહિતી મુજબ મૃતકનું નામ રાજેશ બાબુ વાલાણી જાતે કોળી (ઉમર ૩૫) ધંધો મજૂરીકામ રહે.શિવાજીપરા વીંછીયા તા.વિછીયા જી.રાજકોટ હોવાનું ખુલ્યું હતું અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થતા મૃતકના પિતા બાબુભાઈ ટપુભાઈ વાલાણી જાતે કોળીએ મોરબી આવીને તેમના પુત્રના મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો.વધુમાં મૃતકના પિતા બાબુભાઇએ પોલીસને જણાવ્યા પ્રમાણે તેમનો પુત્ર રાજેશ ગત તા.૨૧-૪ ના રાત્રિના અગીયાર વાગ્યે "કચ્છમાં ચાલતી રામકથામાં જાઉં છું" તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં તા.૨૫-૪ ના રોજ તેનો મોરબી નજીક મૃતદેહ મળી આવ્યો હતો.વધુમાં મૃતકના પિતા બાબુભાઈએ પોલીસને જણાવ્યા પ્રમાણે તેમના પુત્ર રાજેશ વાલાણીને છેલ્લા ચારેક વર્ષથી ડાયાબિટીસ હતું અને ડાયાબિટીસ વધુ હોવાના લીધે તે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતો હતો અને અગાઉ પણ તેને આ બીમારી સબબ દાખલ કરવો પડ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતો દીપક પ્રાણજીવનભાઈ વીરપરિયા નામનો ૩૫ વર્ષનો યુવાન રાત્રિના પોતાનું બાઈક લઈને હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં ત્યાં તેનું બાઈક સ્લીપ મારી જતા ઇજાઓ પામતા તેને અત્રેની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ઘર પાસે મારામારીમાં ઈજા

મોરબીના રહેવાસી મહેશભાઈ કરશનભાઈ ચાવડા (ઉમર ૪૦) અને તેમના પુત્ર નિલેશ મહેશભાઈ ચાવડા (ઉમર ૧૭) ને પોતાના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ તથા સિવિલે સારવાર માટે લઈ જવા આવ્યા હતા જ્યાંથી બનાવવા અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલી હોય આ અંગે પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News