જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

ટંકારાના મોટા રામપર (મહેન્દ્રપુર) શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


SHARE











ટંકારાના મોટા રામપર (મહેન્દ્રપુર) શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

ટંકારા તાલુકાના મોટા રામપર (મહેન્દ્રપુર) ગામે બિરાજમાન અને નાના રામપર, ઉમિયાનગર, નશીતપર એમ ચારેય દિશાઓમાં રક્ષણ અને પોષણ કરતા શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કાર્ય પુર્ણ થવાના પાવન અવસર ઉપર ત્રિદિવસીય પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છ.જેમા રામ-લક્ષ્મણ જાનકી તથા શિવ પરિવારના પાર્વતીજી, ગંગાજી કુર્મ નારાયણ નંદી કેસ્વર તેમજ નિર્માણ થયેલ ભવ્ય મંદિર નિર્માણ થયેલ છે.આ મંગલમય ત્રણ દિવસના મહાયજ્ઞમાં શ્રી નારીચાણીયા હનુમાનજીની કૃપા પ્રસન્નતા અને આશિર્વાદ મેળવવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.જેમા પ્રથમ દિવસ તા.૨૯ ના ગણપતિ પુજન પુણયવાચન, માતૃકા પુજન નાન્દી શ્રાદ્ધ આચાર્યાદી ત્રુત્વિજવરણ ધર્મરક્ષક શક્તિપુજા, યજ્ઞ મંડપ પ્રવેશ બપોરે અગ્નિ પ્રાગટ્ય, તા.૩૦ ને દ્રિતીય દિવસે સ્થાપિત દેવ પુજા જલયાત્રા, ગ્રામરક્ષક ગુરૂ પાદુકા પૂજન, દેવ શોભાયાત્રા જલાધિવાસ, હલાધિવાસ પુષ્પા દિવસ, ધાન્ય ધિવાસ, શયના ધિવાસ, થાળ, આરા યોજાયેલ તેમજ તૃત્ય દિવસ તા.૧ ને સોમવારે સવારે ૮-૩૦ વાગ્યે દેવ જાગૃતિ, સ્નપનસ્નાન, ન્યાય પિઠીકાપુજન, શિખર પુજન બાદ બપોરે ૧૨-૧૫ વાગ્યે દેવસ્થાપન, પ્રર્તિષ્ઠા, પ્રાણપુરણ અને સાંજે ૪ વાગ્યે ઉતર પુજન, બલિદાનના કાર્યક્રમો યોજાયા હતા.






Latest News