મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સિલિકોસીસ પીડીત સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ ઉજવાયો


SHARE











મોરબીમાં સિલિકોસીસ પીડીત સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ ઉજવાયો

ગુજરાત સરકાર જાહેર કરે તે ગરીબ છે..કલકેટર કચેરીમાંથી અમને કાઢી મુકાયા, સાંભળ્યા નહીં..પીડિતોની વ્યથા કોઈ સાંભળતું નથી

૨૮ મી એપ્રિલે સમગ્ર દુનિયામાં વર્ષ દરમ્યાન કામને સ્થળે અકસ્માતમાં અથવા વ્યવસાયિક રોગને કારણે મૃત્યુ પામેલા કામદારોને અંજલી આપવામાં આવે છે આઈ.એલ.ઓ. એ તેને "વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ" જાહેર કર્યો છે. સિલિકોસીસ પીડીત સંગઠન દ્વારા મોરબીના રામધન આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં થાન, જૂનાગઢ, રાજકોટથી પણ સિલિકોસીસ દર્દીઓએ હાજરી આપી મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી.પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના નિયામક જગદીશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિશ્વમા વર્ષે અંદાજે ૨૩ લાખ કામદારો અકસ્માત કે વ્યવસાયિક રોગોને કારણે મૃત્યુ પામે છે તે પૈકી અકસ્માતમાં મૃત્યુ પામે છે તેના કરતાં સાત ગણા વધુ કામદાર જુદાજુદા વ્યવસાયિક રોગોને કારણે અકાળે મોત ને ભેટે છે.

સિલિકોસીસ પીડિતોએ આ પ્રસંગે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે થાનના પીડિતો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર આવદેનપત્ર આપવા ગયા ત્યારે અમને સાંભળ્યા વગર જ અપમાનીત કરી કાઢી મુક્યા હતા..! જુનાગઢના સિલિકોસીસ પીડિતોને ઈ. એસ.આઈ માંથી માંદગીની રજા કાઢી આપતા નથી અથવા બીજે રિફર કરે તો ભાડું પણ ચૂકવતા નથી, અન્ય પીડીતે જણાવ્યું હતુ કે ઈ.એસ.આઈ કોર્પોરેશનનું મેડિકલ બોર્ડ અપંગતાની આકારણી બરાબર કરતા ન હોવાથી લાભ પૂરતો મળતો નથી.મોરબીના પીડીતે જણાવ્યું હતુ કે સિલિકોસીસને કારણે અપંગતા આવ્યા પછી કારખાનામાંથી નિવૃત્ત થવું પડે છે અને પછી આવક બંધ થાય છે ત્યારે સામાજિક સુરક્ષા જ કામ આવે કામદારોને સામાજિક સુરક્ષા કાયદોનો લાભ આપવો જોઈએ સિલિકોસીસ પીડીત સંગઠનના આગેવાન મહેશભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે જો રાજસ્થાન અને હરિયાણાની સરકારો સિલિકોસીસ પીડિતોને પેંશન ચૂકવી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ ચૂકવી ન શકે ? જો ચૂકવી શકતી ન હોય તો ગુજરાત સરકારે પોતે ગરીબ હોવાની જાહેરાત કરવી જોઈએ.

મોરબીના સ્વ.કાંતિભાઈ ચાવડાના માતાએ જણાવ્યું હતુ  કે મારા દીકરાને કોઈ વ્યસન ન હતું.૧૮ વર્ષ કરખાનમાં કામ કર્યા પછી તેને સિલિકોસીસ થયો તેની સારવારમાં ૧૮ થી ૨૦ લાખનો ખર્ચ થયો અને તે ખર્ચ કાઢવા મકાન વેચવું પડ્યું હવે દીકરો ગુમાવ્યો તેમજ ઘર પણ ગુમાવ્યુ.કાન્તિભાઈની દીકરીને ભણવાનું છોડાવી કામે લગાડવી પડી.અધ્યક્ષ સ્થાનેથી બોલતા ર્ડો.એન. સી.સોલંકીએ કાયદાના સારા અમલની માંગણી કરી હતી તેમજ કાયદાઓની માહિતી મેળવી સંઘર્ષ કરવા કામદારોને હાકલ કરી.નવજીવન ટ્રસ્ટના સિસ્ટર ટેસી તેમજ પ્રયાસ સી.એલ.આર.એ ના પ્રતિનિધિ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.તેમ ટ્રસ્ટના ચિરાગભાઇએ જણાવેલ છે.






Latest News