મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અનુ.જાતિ.સમાજ સાથે ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કામ ન થતાં હોવાની રજૂઆત


SHARE











મોરબી જિલ્લામાં અનુ.જાતિ.સમાજ સાથે ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કામ ન થતાં હોવાની રજૂઆત

મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજના આગેવાનોના પ્રતિનિધી મંડળ દ્રારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરીને જણાવવામાં આવેલ છે કે અમારા સમાજના લોકો પ્રત્યે ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કોઈપણ કામ થતાં નથી.જેથી યોગ્ય સુચનાઓ આપવા માંગ કરાયેલ છે.

જેમાં મોરબીના ધુળકોટ ગામે ૧૪ એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની તસ્વીરનો નાશ કરી અનુ.જાતિ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી હતી. અન્ય બનાવમાં ઘણા સમયથી કાલીકાનગરના અરજદારો દ્વારા પોતાના વડીલો પાર્જીત મિલકત સંબધે ન્યાય ન મળતા ચાલી રહેલ આંદોલનમાં ન્યાય આપવો.તેમજ મોરબીના ચાંચાપર ગામે આવેલ અનુ.જાતિ સમાજના જુના રાજાશાહી વખતના સ્મશાન ઉપર કબ્જા બાબતે તપાસ કરી ન્યાય આપવવાની માંગ કરવામાં આવેલ છે.

તેમજ મોરબીના સોખડા ગામના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ લાગતા વળગતા અધિકારીઓને કરેલ રજુઆતોનો યોગ્ય નિકાલ,બહાદુરગઢ ગામે કલ્પેશ ગોહિલના બેનને ગુમશુધા હોય જે બાબતે પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ થયેલ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરેલ હોય જે અંગે તપાસ કરવા, તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અનુ.જાતિના વિસ્તારોમાં આવારા તત્વો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂના હાટડાઓ ચાલુ હોય જે બંધ કરાવવા, માળીયા-વનાળીયા પ્રા.શાળા છેલ્લા બે વર્ષથી પાડી દીધેલ છે.જેના કારણે અનુ.જાતિ સમાજના બાળકોને રેલ્વેના પાટા ઓળંગી જાનના જોખમે દુર સુધી અભ્યાસે જવું પડતું હોય જે બાબતે નજીકના વિસ્તારમાં કામ ચલાઉ વ્યવસ્થા કરવા તેમજ જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં અનુ.જાતિ સમાજના અરજદારોની રજૂઆતોને તાત્કાલિક નિવારણ લાવવામાં આવે તેવી માંગ મોરબીના અનુ.જાતિ સમાજના આગેવાનોએ જીલ્લા કલેકટર પંડયાને કરી હતી.






Latest News