મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ


SHARE







મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ નજીકના વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવતા હાલ ભોગ બનનાર પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ નજીકના વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૪ વર્ષની સગીર દીકરીનું તા.૨૪-૪ ના સવારના સાત વાગ્યાથી નવ વાગ્યા દરમિયાનમાં અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયેલ છે.પરિવાર દ્વારા ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ સગીરાની કોઈ ભાળ મળી ન હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે સામે ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા કલમ ૩૬૩ મુજબનો ગુનો દાખલ કરીને ભોગ બનેલ સગીરાને શોધી કાઢવા અને આરોપીને પકડવાની દિશામાં આગળના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામે રહેતા મુકેશ પરબતભાઈ ભરવાડ નામના ૧૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડાયો હતો મુકેશ ભરવાડ બાઈક લઈને જતો હતો ત્યારે તેને અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવારમાં લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા વીરજીભાઈ છગનભાઈ દેગામા નામના ૬૯ વર્ષીય વૃદ્ધને મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયાચોક પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા તેમને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના શનાળા રોડ રામજી મંદિર પાસે રહેતા કાનજીભાઈ નરસીભાઈ કણજારીયા નામના ૩૫ વર્ષના યુવાનને રવાપર ચોકડી નજીક બાઇક પલ્ટી મારી જવાના અકસ્માત બનાવમાં ઇજા પહોંચતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News