મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત


SHARE











વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામે રહેતી સગીરા બે દિવસ પહેલા કોઇ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેનું ટૂંકી સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામે રહેતી આશાબેન રામજીભાઈ ડાભી નામની ૧૪ વર્ષની સગીરા તા.૨૭ ના રોજ ઝેરી દવા પી ગઈ હોવાથી તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં ટૂંકી સારવાર દરમિયાન આશાબેનનું મોત નીપજતા હાલ મંગલમ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

વધુ પડતા ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડીની પાસે શબ્બીરહુસેન અબ્દુલભાઇ શેરસીયા (મૂળ રહે.વાંકાનેર હાલ અમદાવાદ) નામનો ૩૨ વર્ષે યુવાન ૧૫ જેટલા પેરાસીટામોલના ટીકડા એકીસાથે ખાઈ જતા અસર થતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા હાલ આ અંગે વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ટ્રક પલ્ટી જતા ઇજા

ઉત્તર પ્રદેશના જોનપુરના બેલાવો ગામના રહેવાસી વૈભવ રામશંકર મિશ્રા નામના ૨૯ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં અત્રેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ તપાસ હાથ ધરતા ખુલ્યુ હતું કે વૈભવ મિશ્રા ટ્રક લઈને જતો હતો ત્યારે વાંકાનેર નજીકના જાલીડા ગામ પાસે તેનો ટ્રક પલ્ટી મારી જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં તેને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી લવાયો હતો.






Latest News