વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત


SHARE











વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામે રહેતી સગીરા બે દિવસ પહેલા કોઇ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેનું ટૂંકી સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામે રહેતી આશાબેન રામજીભાઈ ડાભી નામની ૧૪ વર્ષની સગીરા તા.૨૭ ના રોજ ઝેરી દવા પી ગઈ હોવાથી તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં ટૂંકી સારવાર દરમિયાન આશાબેનનું મોત નીપજતા હાલ મંગલમ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

વધુ પડતા ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડીની પાસે શબ્બીરહુસેન અબ્દુલભાઇ શેરસીયા (મૂળ રહે.વાંકાનેર હાલ અમદાવાદ) નામનો ૩૨ વર્ષે યુવાન ૧૫ જેટલા પેરાસીટામોલના ટીકડા એકીસાથે ખાઈ જતા અસર થતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા હાલ આ અંગે વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ટ્રક પલ્ટી જતા ઇજા

ઉત્તર પ્રદેશના જોનપુરના બેલાવો ગામના રહેવાસી વૈભવ રામશંકર મિશ્રા નામના ૨૯ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં અત્રેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ તપાસ હાથ ધરતા ખુલ્યુ હતું કે વૈભવ મિશ્રા ટ્રક લઈને જતો હતો ત્યારે વાંકાનેર નજીકના જાલીડા ગામ પાસે તેનો ટ્રક પલ્ટી મારી જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં તેને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી લવાયો હતો.






Latest News