વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાતે આવારા તત્વોના ત્રાસ બાબતે એસો. દ્રારા રજૂઆત


SHARE











મોરબી જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાતે આવારા તત્વોના ત્રાસ બાબતે એસો. દ્રારા રજૂઆત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા તાજેતરમાં પોલીસને રજૂઆત કરીને મોડી રાત્રીના જીઆઇડીસી વિસ્તારમાં આવારા તત્વોના રંજાળ બાબતે રજૂઆત કરી યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

પોલીસને કરાયેલ લેખીત રજૂઆતમાં જણાવવામાં આવ્યા મુજબ, મોરબી જીઆઈડીસી વસાહતની આજુબાજુનાં વિસ્તા૨માં ૪ થી ૫ સ્કુલ આવેલ છે. તેમાં કન્યા છાત્રાલય અને બીજી સ્કુલનો અવ૨-જવ૨નો રસ્તો જીઆઈડીસીમાંથી છે.સ્કુલ-કોલેજ કે ટ્યુશન કલાસ ચાલુ થવાના અને છૂટવાના અને રાત્રીના સમયે જીઆઈડીસીમાં આવારા તત્વો અડ્ડો જમાવે છે.તે પોતાના બાઈક તથા ગાડીઓ લઈને આવે છે અને અડધો રસ્તો રોકી ત્યાં બેસે છે.ત્યાંથી પસાર થતાં જીઆઈડીસીનાં ઉદ્યોગકારો તથા ઉદ્યોગકારોનાં વાહનોનાં અવ૨-જવ૨માં અડચણરૂપ થાય છે.કારણકે હાઉસીંગ બોર્ડ તથા અન્ય સોસાયટીઓની દીકરીઓ રોજ સ્કુલ-કોલેજ તથા ટ્યુશન ક્લાસીસમાં આવવા-જવા માટે જીઆઈડીસીની અંદરની શેરીઓમાંથી નિકળે છે.

તેમજ જાહેર રસ્તા ઉપર મોડી રાત્રે કેક કાપવાના પ્રોગ્રામ થતા રહે છે અને દારૂ તથા અન્ય નશીલા પ્રદાર્થોનો વેપાર પણ થાય છે.અગાઉ ચેન સ્નેચીંગની ઘટનાઓ પણ બનેલ છે.હાલમાં સુપર માર્કેટની જે ઘટના બનેલ છે તે ઘટના જીઆઈડીસી વસાહતમાં ન બને તે માટે આ વિષય અંગે યોગ્ય કાર્યવાહી કરવા ઉદ્યોગકારોએ માંગ કરેલ છે.જીઆઇડીસી વસાહતનાં મેઈન રોડ ઉપર લારી, રીક્ષા, બસ વિગેરે જેવા વાહનો પણ હેર કાયદેસર રીતે પાર્ક કરવામાં આવે છે જેના કારણે અહીંના ઉદ્યોગકારોને પોતાના વાહનોનાં અવર-જવરમાં અડચણરૂપ થાય છે તેથી તે બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉદ્યોગકારોએ માંગ કરેલ છે.






Latest News