મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
મોરબીની અગ્રણી શિક્ષણ સંસ્થા ઓમશાંતિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં મનોરંજન સાથે કૌતુક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તેવા હેતુથી જાદુગર આવેલા હતા. જેમાં સુપ્રસિદ્ધ જાદુગર રાજકુમારે ઉપસ્થિત રહીને પોતાના અદ્ભુત અને મંત્રમુગ્ધ કરી દે તેવા જાદુના પ્રયોગો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જાદુગર રાજકુમારે પોતાની અવનવી હાથચાલાકી, નજરબંધી અને મનોરંજક જાદુઈ ખેલ રજૂ કરીને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળપણથી જ જિજ્ઞાસુ રહેલા વિદ્યાર્થીઓ માટે આ શો માત્ર મનોરંજન જ નહીં પરંતુ આશ્ચર્ય અને આનંદથી ભરપૂર રહ્યો હતો. જાદુગરે પોતાના ખેલ થકી એ પણ સંદેશ આપ્યો હતો કે જાદુ એ કોઈ ચમત્કાર નથી પરંતુ એક વિજ્ઞાન, ગણિત અને હાથચાલાકીની કળા છે.શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને માનસિક તાજગી માટે સમયાંતરે આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જાદુગર રાજકુમારના આ પ્રયાસને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકગણ તથા સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.