મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ


SHARE











ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ચૂંટણી સમયે કોંગ્રેસનાં મહિલા સાંસદ વિષે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદમાં પણ ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા વિરોધ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા ગેનીબેન ઠાકોરની માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોંગ્રેસનાં સાંસદ વિષે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદ ખાતે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભાજપ સરકાર તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે વિરુદ્ધ વ્યક્ત કર્યો હતો ત્યારે કોંગ્રેસનાં સ્થાનિક આગેવાનોએ પણ સમાજના લોકોને ટેકો આપ્યો હતો. અને જગદીશ વિશ્વકર્મા હાય-હાય સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. અને આ તકે આગેવાનોએ કહ્યું હતું કે, એક તરફ ભાજપ સરકાર નારીશક્તિ અને સશક્તિકરણની વાતો કરીને મત માંગે છે અને બીજી બાજુ તેમના નેતાઓ નારીનું જાહેરમાં અપમાન કરી રહ્યા છે. અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી તે અત્યંત અપમાનજનક હતી જેથી ગેનીબેનની માફી માંગવી જોઈએ અને જો ભાજપના પ્રદેશ પ્રમુખ માફી નહીં માંગે તો આગામી સમયમાં કલેક્ટર કચેરીઆવેદનપત્ર આપવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને હલવાદમાં ઠાકોર સમાજના આગેવનો તેમજ કોંગ્રેસનાં હોદેદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે દારા કુલ મળીને 11 જેટલા પ્રદર્શનકારીઓને ડિટેકરવામાં આવ્યા હતા.






Latest News