મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા


SHARE







મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા

મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતના હોદેદારોની મુદત પૂર્ણ થયેલ છે જેથી નવા હોદેદારોની વરણી કરવા માટે તેમજ નવા બની રહેલા સમાજ ભવનની ચર્ચા કરવા માટે આગમી રવિવારે મોરબીમાં રાજપૂત સમાજની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવશે.

 મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજાએ જણાવ્યુ છે કે, મોરબી જીલ્લા રાજપૂત સમાજના હોદેદારોની ટર્મ પૂર્ણ થયેલ છે જેથી કરીને આગામી તા ૨૩/૦૮/ર૦ર૬ ને રવિવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સાધારણ સભા તથા કારોબારીની મીટીંગનું આયોજન કર્યું છે જેમાં ખાસ કરીને નવા હોદેદારો એટલે કે પ્રમુખ, મહામંત્રી તથા તમામ કારોબારીના નવા સભ્યોની નિમણૂંક કરવાની છે તેમજ હાલમાં જે મહારાણી વિજય કુંવરબા સાહેબ મોરબી રાજપૂત સમાજ ભવનનું નિર્માણ કાર્ય ચાલુ હોય જેની કામકાજની ચર્ચા વિચારણા કરવાની હતી જેથી સમાજના તમામ ભાઈઓ તેમજ ખાસ કરીને સમાજભવન માટેના જે લોકો ડોનર છે. તેઓએ આ મીટીંગમાં ખાસ હજાર રહેવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જાડેજાએ જણાવ્યુ છે






Latest News