મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ


SHARE













હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ

કચ્છથી અમદાવાદ તરફ અબોલજીવને કતલખાને લઈ જવાના છે તેવી મોરબી અને હળવદના ગૌરક્ષકોને બાતમી મળી હતી જેથી માળીયા પદે વોચ રાખવામા આવી હતી અને ત્યારે મળેલી બાતમી મુજબની આઇસર ત્યાંથી પસાર થયું હતું જો કે, વાહન ચાલકે તેના વાહનને ભગવી મૂક્યું હતુ જેથી તેનો પીછો કરીને હળવદ પાસે આઇસરને રોકીને ચેક કર્યું હતું ત્યારે તેમાંથી 35 પાડા પાડા મળી આવ્યા હતા જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશને વાહન, અબોલજીવ અને બે શખ્સોને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરિયાદ નોધાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

કચ્છ તરફથી માળીયા થઈને અમદાવાદ બાજુ અબોલજીવને કતલખાને લઈ જવામાં આવે છે તેવી હક્કિત મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેથી કરીને તા. 9/5 ને શનિવારે વહેલી સવારે ગૌરક્ષકો દ્વારા હાઇવે ઉપર વોચ રાખવામા આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનું આઇસર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું જેથી કરીને મોરબી અને હળવદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, કચ્છ ગૌરક્ષક, ધાંગધ્રા ગૌરક્ષક વિગેરેની ટીમે તે વાહન નંબર જીજે 27 ટીડી 8780 નો માળીયાથી પીછો કર્યો હતો જેથી આઇસરના ચાલકે તેનું વાહન ભાગાવ્યું હતું જો કે, આ અંગેની હળવદ પોલીસ અને ગૌરક્ષકોને જાણ કરી હતી જેથી હળવદની સરા ચોકડી પાસે આઇસર ગાડીને રોકી હતી અને ચેક કરી હતી ત્યારે તેમ ક્રૂરતા પૂર્વક ખીચોખીચ 35 નંગ પાડા ભરેલા હોવાનું સામે આવું હતું જેથી બે શખ્સને પકડીને વાહન અને અબોલજીવ સાથે હળવદ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટેની તજવીજ શરૂ કરી હતી. અને અબોલજીવને મહાજનમા મૂકવામાં આવ્યા હતા.






Latest News