વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં
SHARE
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ લેજોરા સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન એક યુવાનને શોટ લાગી ગયો હતો જેથી તેને બચાવવા માટે બીજો યુવાનો ગયો હતો અને તે બંને બેભાન થઈ ગયા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બે પૈકીના એક યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ લેજોરા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો બિરેન્દ્રભાઇ જુધિષ્ઠિરભાઇ છતરીયા (41) નામનો યુવાન કારખાનાની અંદર ગ્લેઝ ઓપરેટર તરીકે કામ કરતો હોય તેને અકસ્માતે શોર્ટ લાગ્યો હતો દરમિયાન ત્યાં કામ કરતો સાહેદ પ્રિન્સ મિશ્રા નામનો શ્રમિક તેને બચાવવા માટે થઈને ગયો હતો જેથી તે બંને વ્યક્તિઓ બેભાન થઈ ગયા હોય તેને તાત્કાલિક રફાળેશ્વર ગામ પાસે આવેલ એપેક્ષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બિરેન્દ્રભાઇ છતરીયાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને પ્રિન્સ મિશ્રા હાલમાં સારવાર હેઠળ હોય અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે