મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય
મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ
SHARE
મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ
હાલમાં ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીમાંથી લોકોને રાહત મળે તેના માટે છાયડો અને ઠંડા પીણાં નો સહારો લેવામાં આવે છે ત્યારે મોરબીમાં આવેલા સિરામિક કારખાનાઓમાં 1200 ડિગ્રી તાપમાન વચ્ચે ટાઇલ્સ ભઠ્ઠીમાં બનતી હોય છે અને ત્યાં શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોય છે ત્યારે મોરબીના જુદાજુદા સિરામિક કારખાનામાં શ્રમિકોને ગરમીની સામે રક્ષણ મળે તેના માટે લિંબુ સરબત અને ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે મોરબીમાં લખધિરપુર રોડ ઉપર આવેલ લીવોલા ગ્રેનાઇટો નામના કારખાનામાં કામ કરતાં શ્રમિકો માટે ગરમીમાં રાહત મળી રહે તેના માટે લસ્સીનું વિતરણ કરવામાં આવ્યું હતું મોરબીના ઉદ્યોગકારો દ્વારા શ્રમિકો પાસે માત્ર મજુરી જ કરાવી એવી ભાવના નહી પરંતુ કૌટુંબિક ભાવનાથી કામ લેવામાં આવે છે. તેનું આ ઉતમ ઉદાહરણ છે.