મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય


SHARE











મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય

હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે જે યુધ્ધ ચાલી રહ્યું છે તેને લઈને પેટ્રોલ-ડીઝલની કટોકટીના એંધાણ વર્તાઇ રહ્યા છે જેથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા માટે કહ્યું હતું. જે અપિલને ધ્યાને રાખીને મોરબીના ડો. બી.કે. લહેરૂબે મહિના સુધી કાર અને સ્કૂટરનો વપરાશ નહિ કરવાનો નિર્ણય કર્યો છે

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ, લખધીરજી એન્ડામેન્ટ ટ્રસ્ટના ચેરમેન, સીનીયર સીટીઝન પ્રમુખ, વૈધ સભા અને લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તથા મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ડો. બી.કે.લહેરૂએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઓછો વપરાશ કરવા માટે અપીલ કરી હતી તેને ધ્યાને રાખીને તા. 15 મે થી તા 17 સપ્ટેમ્બર એટ્લે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સુધી પોતાની કાર અને સ્કૂટરનો ઉપયોગ નહિ કરવા માટેનો નિર્ણય કર્યો છે. અને તેઓ વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે તેવું જણાવ્યુ છે.






Latest News