મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત


SHARE







વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામે રહેતી સગીરા બે દિવસ પહેલા કોઇ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેનું ટૂંકી સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામે રહેતી આશાબેન રામજીભાઈ ડાભી નામની ૧૪ વર્ષની સગીરા તા.૨૭ ના રોજ ઝેરી દવા પી ગઈ હોવાથી તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં ટૂંકી સારવાર દરમિયાન આશાબેનનું મોત નીપજતા હાલ મંગલમ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

વધુ પડતા ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડીની પાસે શબ્બીરહુસેન અબ્દુલભાઇ શેરસીયા (મૂળ રહે.વાંકાનેર હાલ અમદાવાદ) નામનો ૩૨ વર્ષે યુવાન ૧૫ જેટલા પેરાસીટામોલના ટીકડા એકીસાથે ખાઈ જતા અસર થતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા હાલ આ અંગે વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ટ્રક પલ્ટી જતા ઇજા

ઉત્તર પ્રદેશના જોનપુરના બેલાવો ગામના રહેવાસી વૈભવ રામશંકર મિશ્રા નામના ૨૯ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં અત્રેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ તપાસ હાથ ધરતા ખુલ્યુ હતું કે વૈભવ મિશ્રા ટ્રક લઈને જતો હતો ત્યારે વાંકાનેર નજીકના જાલીડા ગામ પાસે તેનો ટ્રક પલ્ટી મારી જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં તેને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી લવાયો હતો.






Latest News