મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા


SHARE











મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા

દરેક બાળકને પોતાની જન્મભૂમિ પ્રત્યે અપાર સ્નેહ અને લાગણી હોય છે. વ્યક્તિ ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરે પરંતુ પોતાની માતૃભૂમિને ક્યારેય પણ ભૂલી શકતો નથી ત્યારે માતૃભૂમિ પ્રત્યે રહેલા ઋણના હેતુને સિદ્ધ કરવા માટે મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ૨૬  જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ માતૃભૂમિનું મહત્વ સમજાવતી એક અદભૂત સ્પર્ધા એટલે કે માતૃભૂમિ નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેના વિષયો "મારું મોરબી કેવું હોવું જોઈએ..?", "મને મોરબી શા માટે ગમે છે...?" જેવા વિષયો સાથે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમની સિદ્ધિઓને બિરદાવામાં આવી હતી જેમાં ધો ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમાં પ્રથમ ક્રમે મેવા માહી મુકેશભાઈ, દ્વિતીય ક્રમે અગોલા ધન્વી અશોકભાઈ અને અખિયાણીયા ભવ્યા કમલેશભાઈ તેમજ તૃતીય ક્રમે રામાવત બંસી ભાવેશભાઈ રંગપરિયા વૈદેહી મહેશભાઈ વિજેતા બનેલ છે જેથી દરેકને સન્માનીત કરવામાં આવ્યા હતા તેવું સંસ્થાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે






Latest News