મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી ટુડેની અસર: વાંકાનેરમાં સમરસતા દિવસની ઉજવણીની નવી પત્રિકા બની, રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેતું તંત્ર


SHARE









મોરબી ટુડેની અસર: વાંકાનેરમાં સમરસતા દિવસની ઉજવણીની નવી પત્રિકા બની, રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેતું તંત્ર

વાંકાનેર તાલુકામાં વિધાનસભાની ચૂંટણી પછી પણ હજુ પણ ક્યાંકને ક્યાંક રાજકીય ખેચતાણ અને અસ્તિત્વનો જંગ ચાલી રહ્યો હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે તા. ૧૪ ના રોજ વાંકાનેરમાં કુંભારપરા ચોક ખાતે સમરસતા દિવસ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તેના માટે આમંત્રણ કાર્ડ વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતુ તેમાં વાંકાનેરના ધારાસભ્ય, વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ સહિતના લોકોના નામ ન હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો હતો જેના સમાચાર મોરબી ટુડેમાં પ્રસિધ્ધ કરવામાં આવતાની સાથે જ તંત્ર દ્વારા રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેવા માટે તાત્કાલિક નવી પત્રિકા બનાવવામાં આવી હતી અને તેને ઓનલાઈન સર્ક્યુલેટ કરવામાં આવી હતી

વાંકાનેરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સમરસતા દિવસ ૨૦૨૩ નિમિત્તે વાંકાનેરના કુંભારપરા ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે લોક ડાયરાનું આયોજન કરવામાં હતું જેની આમંત્રણ પત્રિકામાં વાંકાનેરના ધારાસભ્ય, વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ સહિતના લોકોના નામ ન હોવાથી તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી જેથી કરીને રાજકીય ખેંચતાણ અને અસ્તિત્વનો જંગ વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લામાં ચાલુ હોવાની વાતો થવા લાગી હતી

કેમ કે, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એચ.કે. વ્યાસના નામથી જે આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે તેમાં મુખ્ય મહેમાન તરીકે પહેલા બનાવવામાં આવેલ પત્રિકામાં વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનોના નામ હતા જો કે, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું નામ હતું નહીં જો કે, વાંકાનેર શહેરની અંદર જે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તેની આમંત્રણ પત્રિકામાં જીતુભાઈ સોમાણીનું નામ નથી તેના સમાચાર મોરબી ટુડેમાં આવ્યા બાદ તાત્કાલિક અસરથી રજાના દિવસે નવી પત્રિકા તૈયાર કરવામાં આવી હતી અને તેમાં ધારાસભ્યનું નામ ઉમેરવાને બદલે તંત્રએ અગાઉ લખેલા તમામ આગેવાનોના નામ કાઢી નાખ્યા છે જેથી કરીને વાંકાનેરની રાજકીય પરોજણમાંથી તંત્રએ હાથ ખંખેરી લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News