મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી ટુડેની અસર: વાંકાનેરમાં સમરસતા દિવસની ઉજવણીની નવી પત્રિકા બની, રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેતું તંત્ર


SHARE











મોરબી ટુડેની અસર: વાંકાનેરમાં સમરસતા દિવસની ઉજવણીની નવી પત્રિકા બની, રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેતું તંત્ર

વાંકાનેર તાલુકામાં વિધાનસભાની ચૂંટણી પછી પણ હજુ પણ ક્યાંકને ક્યાંક રાજકીય ખેચતાણ અને અસ્તિત્વનો જંગ ચાલી રહ્યો હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે તા. ૧૪ ના રોજ વાંકાનેરમાં કુંભારપરા ચોક ખાતે સમરસતા દિવસ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તેના માટે આમંત્રણ કાર્ડ વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતુ તેમાં વાંકાનેરના ધારાસભ્ય, વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ સહિતના લોકોના નામ ન હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો હતો જેના સમાચાર મોરબી ટુડેમાં પ્રસિધ્ધ કરવામાં આવતાની સાથે જ તંત્ર દ્વારા રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેવા માટે તાત્કાલિક નવી પત્રિકા બનાવવામાં આવી હતી અને તેને ઓનલાઈન સર્ક્યુલેટ કરવામાં આવી હતી

વાંકાનેરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સમરસતા દિવસ ૨૦૨૩ નિમિત્તે વાંકાનેરના કુંભારપરા ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે લોક ડાયરાનું આયોજન કરવામાં હતું જેની આમંત્રણ પત્રિકામાં વાંકાનેરના ધારાસભ્ય, વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ સહિતના લોકોના નામ ન હોવાથી તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી જેથી કરીને રાજકીય ખેંચતાણ અને અસ્તિત્વનો જંગ વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લામાં ચાલુ હોવાની વાતો થવા લાગી હતી

કેમ કે, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એચ.કે. વ્યાસના નામથી જે આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે તેમાં મુખ્ય મહેમાન તરીકે પહેલા બનાવવામાં આવેલ પત્રિકામાં વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનોના નામ હતા જો કે, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું નામ હતું નહીં જો કે, વાંકાનેર શહેરની અંદર જે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તેની આમંત્રણ પત્રિકામાં જીતુભાઈ સોમાણીનું નામ નથી તેના સમાચાર મોરબી ટુડેમાં આવ્યા બાદ તાત્કાલિક અસરથી રજાના દિવસે નવી પત્રિકા તૈયાર કરવામાં આવી હતી અને તેમાં ધારાસભ્યનું નામ ઉમેરવાને બદલે તંત્રએ અગાઉ લખેલા તમામ આગેવાનોના નામ કાઢી નાખ્યા છે જેથી કરીને વાંકાનેરની રાજકીય પરોજણમાંથી તંત્રએ હાથ ખંખેરી લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News