મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી


SHARE











મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથોસાથ આ વર્ષે રાસગરબા, શોભાયાત્રા, અન્નકૂટ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવેલ છે.

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર અને ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આગામી તા. ૨૨ એપ્રિલનાં રોજ ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ હોય પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે ભવ્ય શોભાયાત્રા તો રાખવામા આવી જ છે તેની સાથે તા. ૨૧ એપ્રિલનાં રોજ રાત્રે ભવ્ય રાસગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે ભવ્ય રાસગરબા રાખવામા આવેલ છે અને તા. ૨૨ ના રોજ વાઘપરા શેરી-૧૪ માં આવેલ ગાયત્રી મંદિર ખાતેથી બપોરે ૪ કલાકે પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે અને શહેરનાં મુખ્ય માર્ગો પર ફરીને પરશુરામધામ ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે ત્યાં મહાઆરતી, અન્નકુટનો પ્રસાદ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મોરબી શહેર અને આસપાસના ગામમાં રહેતા સર્વે ભુદેવોએ લાભ લેવા માટે અને ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા માટે પરશુરામ યુવા ગ્રુપનાં પ્રમુખ રોહિતભાઇ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઇ દવે, મહામંત્રી કમલભાઈ દવેએ જણાવ્યુ છે






Latest News