મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૩૬૦૦ જેટલા શિક્ષકોને પગારના ફાંફાં


SHARE











મોરબી જિલ્લાના ૩૬૦૦ જેટલા શિક્ષકોને પગારના ફાંફાં

રાજ્યમાંથી મોરબી જીલ્લામાં ગત ત્રીજી એપ્રિલે શિક્ષકોના પગાર માટેની ગ્રાન્ટ આવી ગઈ છે જો કે, આજની તારીખે મોરબી જિલ્લામાં શિક્ષકોને પગાર આપવામાં આવેલ નથી જેથી કરીને શિક્ષકોમાં રોષની લાગણી ફેલાઈ છે

મોરબી જિલ્લામાં રાજ્યમાંથી ત્રણ એપ્રિલે પગાર ગ્રાન્ટ આવી ગયેલ છે તો પણ શિક્ષકોનો પગાર આપવામાં આવ્યો નથી જેથી કરીને શિક્ષકોએ લીધેલી લોનના હપ્તા સમયસર ભરી શકતા ન હોય વ્યાજ પેનલ્ટી લાગે છે તેમજ જીપીએફ, સીપીએફ કપાત દર મહિનાની દશ તારીખ પહેલા જમા ન થવાના કારણે જે તે માસનું વ્યાજ પણ શિક્ષકોને મળતું નથી અને વળી માર્ચ માસનો મોટા ભાગનો પગાર ઇન્કમટેક્ષ કપાત થયેલ હોય એપ્રિલ માસ અડધો વીતી જવા છતાં શિક્ષકોને પગાર ન મળતા શિક્ષકો રોષે ભરાયા છે

મોરબી જિલ્લા પંચાયતમાં તપાસ કરતા જણાવાયું હતું કે, એકાઉન્ટ ઓફિસર રજા પર છે તેવું ચર્ચાઇ રહ્યું છે અને તેના કારણે શિક્ષકો પણ સરકારના અનેક ખાતાની એકી સાથે અનેકવિધ ૧૨૦ જેટલી કામગીરી કરે છે તો દર માસે મોરબી જિલ્લાના શિક્ષકોનો પગાર મોડો કરીને શા માટે હેરાન પરેશાન કરવામાં આવે છે? પગાર કરવા માટે અગાઉથી શા માટે આયોજન કરવામાં નથી આવતું? જ્યારે પગાર જમા કરવાનો હોય ત્યારે જ અધિકારીને અન્ય કામ આવી જાય છે?કે પગાર કરવા સમયે જ અધિકારીને રજા પર જવું પડે છે ? આવા પ્રશ્નો શિક્ષકો કરી રહ્યા છે.






Latest News