મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યો સહિતનાઓની હાજરીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતી ઉજવાઈ


SHARE







મોરબીમાં ધારાસભ્યો સહિતનાઓની હાજરીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતી ઉજવાઈ

સમગ્ર ભારત દેશમાં બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પણ સમાજના આગેવાનો દ્વારા મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવું જ રીતે આ વર્ષ પણ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિ નિમિતે મોરબીના વીસીપાર વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ, પરબજાર, નહેરૂ ગેઇટ ચોક થઈને ગાંધી ચોકમાં પાલિકાના પટાંગણમાં મૂકવામાં અવલે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પૂરી કરવામાં આવી હતી ત્યારે આ શોભાયાત્રામાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, અરવિંદભાઇ વાસદડિયા, રિશિપભાઇ કૈલા, પરેશભાઈ કચોરીયા, જયરાજસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ પોપટ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ, રામજીભાઇ રબારી, કે.ડી. પડસુંબિયા, દીપકભાઈ પરપાર, બાબુભાઇ વેરાણા સહિતના આગેવાનો તેમજ અધિકારી હાજર રહ્યા હતા અને ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજલી અપર્ણ કરી હતી આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે પ્રજ્ઞેશભાઈ વાઘેલા, મનુભાઈ સરેસા, ગૌતમભાઈ સોલંકી અશોકભાઇ ચાવડા, રાવજીભાઇ સોલંકી, ભાનુબેન નગવાડિયા, સુરેશભાઇ સીરોહિયા, પરેશભાઈ પારિયા, જસવંતીબેન સીરોહિયા સહિતના આગેવાનો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી






Latest News